ઝલક-૨૧ - 'ઝલક' દ્વારા કદાચ હું સામાજીક સેવા કરું છું કારણકે મને અનેક લોકો અવારનવાર કહેતા રહ્યાં છે કે 'ઝલક' દ્વારા અમને પારાવાર આશ્વાસન અને બળ મળે છે. જીવન પ્રત્યેનો અભિગમ સ્પષ્ટ અને સ્વચ્છ થાય છે. કવિતા મારા આનંદ માટે લખું છું. એ દ્વારા હું સમાજની સેવા કરતો હોઉં એવું માનતો નથી. અલબત્ત, મારી કવિતાથી કોઈને આનંદ થાય એને હું આનંદ જ માનું છું, સેવા માનતો નથી. મારો જીવ કવિતાનો છે. કવિતા લખવામાં કે કવિતાનો આસ્વાદ કરાવવામાં જેટલો આનંદ આવે, એટલો બીજામાં ન આવે.