પુષ્પો મને ગમે છે. અંધેરીના ગુલમહોરનું મહત્ત્વ ફિલાડેલ્ફીઆના ડૅફોડિલ્સ કરતાં સહેજે ઊતરતું નથી એટલે જ શીર્ષકમાં મેં આ પુષ્પોને ગૂંથી લીધાં છે. વળી, સાથે સાથે વણાઈ છે અંધેરીથી ફિલાડેલ્ફીઆ સુધીની મારી યાત્રા, અને વણાયો છે કોઠે પડી ગયેલા ફિલાડેલ્ફીઆમાં જ રહ્યાં વર્ષો તેમાં જીવી જવાનો સ્વીકાર.-પન્ના નાયક. ઇમેજ પબ્લિકેશન દ્વારા પન્ન નાયક અને તેમના જેવા કવિ-કવયિત્રીઓની રચનાઓ ૧૧ કાવ્ય સંગ્રહોના સેટમા પ્રસ્તુત છે.